સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

સરધારનાં પૂ. નિત્યસ્વરૂપ સ્વામી વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં

આચાર્ય પૂ. અજેન્દ્રપ્રસાદ ગ્રુપનો સાથ છોડીને દેવ પક્ષના આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી સાથે જોડાયા

રાજકોટઃ આજે વડતાલ ખાતે સરધાર સ્વામિનારાયણ મંદિરના શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી અને સાથી સંતો આચાર્ય અજેન્દ્રપ્રસાદજી ગ્રુપનો સાથ છોડી આચાર્ય રાકેશપ્રસાદજી સાથે જોડાયેલ તે પ્રસંગની તસ્વીર સંતો અને આચાર્ય એકબીજાને ભેટયા હતા. અને આશિર્વાદ લીધા હતા.

આટકોટ, તા. ૮ :. સરધારના પૂ. નિત્યસ્વરૂપસ્વામી વડતાલ સ્વામીનારાયણ સંસ્થામાં જોડાતા મોટી સંખ્યામાં સંતો અને હરીભકતોએ આ પ્રસંગને આવકાર્યો છે.

આચાર્ય પૂ. અજેન્દ્રપ્રસાદ ગ્રુપનો સાથ છોડીને દેવપક્ષના આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી સાથે પૂ. નિત્યસ્વરૂપસ્વામી જોડાઈ ગયા છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. પૂ. નિત્યસ્વરૂપસ્વામી વડતાલ મંદિરમાં જોડાતા દેવપક્ષ વધુ મજબુત બનશે.

પૂ. નિત્યસ્વરૂપસ્વામી પોતાના ૬૦ થી ૮૦ સહયોગીઓ સાથે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં જોડાયા છે. હવે તેઓનું વડતાલ સ્વામીનારાયણ સંસ્થામાં આગમન થતા આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો અને હરીભકતોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

પૂ. રાકેશપ્રસાદજીના આશિર્વાદ પૂ. નિત્યસ્વરૂપસ્વામીએ લીધા હતા.

(11:49 am IST)