સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th December 2022

ગોંડલમાં ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નીમીતે ભાવવંદના કરાઇ

માંડવીચોકથી બાબાસાહેબના સ્ટેચ્યુ ખટારા સ્ટેન્ડ સુધી મૌન રેલીનુ આયોજન કરાયુ

ગોંડલ : બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિન નિમિતે ગોંડલ મેઘવાળ સમાજ તથા ડો.બાબાસાહેબ આંબેડકર ઉત્સવ સમીતીના ઉપક્રમે માંડવીચોકથી બાબાસાહેબના સ્ટેચ્યુ ખટારા સ્ટેન્ડ સુધી મૌન રેલીનુ આયોજન કરાયુ હતુ.જેમા વિશાળ સંખ્યામા સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો તથા યુવાનો જોડાયા હતા.રેલી સ્વરુપે ખટારાસ્ટેન્ડ પહોંચી ડો.આંબેડકર ની પ્રતિમાએ મીણબતી સળગાવી પુષ્પહાર કરી ભાવવંદના કરાઇ હતી

(1:07 am IST)