મોરબી પાસે ચોર સમજી અજાણ્યા યુવાનોને પતાવી દેનાર ૪ શખ્સોના રીમાન્ડ મંગાયાઃ ૩ની શોધખોળ
તસ્વીરમાં પકડાયેલ (નીચે બેઠલ) ચારેય શખ્સો અને પોલીસ સ્ટાફ નજરે પડે છે.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)
મોરબી,તા.૭: મોરબીના રફાળેશ્વર પાસે ચોર સમજી અજાણ્યા યુવાને પતાવીને દેનાર ૪ શખ્સોને પોલીસે ઝડપી લઇ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. તેમજ હત્યામાં સામેલ અન્ય ૩ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
મોરબીના રફાળેશ્વર જીઆઈડીસી નજીકથી ૨૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતીને પગલે તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતક અજાણ્યા યુવાનના શરીર પર ઈજાના નિશાનો મળી આવતા તેને ચોર સમજી માર મારતા તેનું મોત થયાનો ખુલાસો થયા બાદ મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર એ જાડેજાએ ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી જેમાં આરોપી અજયકુમાર પાંડુરંગ કારંડે, રમેશસિંગ શ્રીકુંજ બિહારી, કુંદન દિનબંધુ ભારદ્વાજ અને અખિલેશકુમાર સંતોષકુમાર પ્રસાદ રહે ચારેય ધવલ ઓફસેટ ઓરડીમાં જોધપર (નદી) તા. મોરબી તેમજ વિનોદ મગનભાઈ સવસાણી, કેવલ વિનોદભાઈ સવસાણી અને વિનોદભાઈ હરજીવનભાઈ સવસાણી રહે મોરબી વાળા એમ કુલ સાત સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને તાલુકા પોલીસ ટીમે હત્યામાં સંડોવાયેલ આરોપી અજયકુમાર પાંડુરંગ કારંડે, રમેશસિંગ શ્રીકુંજ બિહારી, કુંદન દિનબંધુ ભારદ્વાજ અને અખિલેશકુમાર સંતોષકુમાર પ્રસાદ રહે ચારેય ધવલ ઓફસેટ ઓરડીમાં જોધપર (નદી) એમ ચારને ઝડપી લઇ ધરપકડ કરી હતી. પકડાયેલ ચારેય શખ્સોને આજે રીમાન્ડથી કોર્ટમાં રજુ કરાશે. તેમજ હત્યામાં સામેલ અન્ય ૩ શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.