બગસરા પાસે કબાટ ભરેલ ભાર રીક્ષા પલટી ખાઇ જતા ચાલકનું મોત
બગસરા તા. ૭ : બગસરાથી ૧૬ કી.મી.દુર હાલરીયા પાસે વહેલી સવારે બગસરાથી ધોકડવા કબાટ ભરીને રીક્ષા ચાલક જતો હતો ત્યારે કોઇક કારણોસર વહેલી સવારે રીક્ષા પલટી ખાતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.
વિગત મુજબ બગસરાથ ધોકડવા કબાટ ભરીને રીક્ષા જતી હતી ત્યારે હાલરીયા અને પાદરગઢના પાટીયા પાસે છકડો રીક્ષા પલટી મારી જતા રીક્ષા ચાલકનું મોત નિપજયું હતું પાદરગઢના પાટીયા નજીક કોઇ અજાણ્યા વાહનની ટકકર લાગતા રિક્ષા પલટી મારી ગઇ હતી અને ચાલક જયંતીભાઇ બાલાભાઇ ઉનાવા (ઉ.પર) નુ કરૂણ મોત નિપજયું હતું.
આ અંગે જાણ થતા પરિવારજનો દોડી આવ્યા હતા ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી અને રિક્ષાને ઠોકર મારી નાસી છુટેલા વાહન ચાલકને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી જયંતીભાઇનો મૃતદેહ સિવિલ હોસ્પીટલે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.