સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

છઠી જાન્યુઆરીએ ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા :26મી સુધીમાં એન્ટ્રી ફોર્મ ભરવા ભરી શકાશે

સ્પર્ધામાં ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ વર્ષની વયજુથમાં સિનિયર અને જુનિયર વીભાગમાં સ્પર્ધક ભાઇ બહેનો ભાગ લઇ શકશે.

જૂનાગઢ: ધાર્મિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ અદ્કેરૂ સ્થાન ધરાવતા  ગિરનાર પર્વત પર આરોહણ અને અવરોહણ માટે પ્રતિવર્ષ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજાય છે. સ્પર્ધામાં જોડાવા માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા યુવાનો પાસેથી ફોર્મ આવકારાય છે. આ વખતે છ ઠ્ઠી જાન્યુઆરી-201૯ના રોજ યોજાનાર રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવા જઇ રહી છે.

  ગિરનાર આરોહણ- અવરોહણ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે www.girnarcompetition.com પરથી ઓનલાઇન ફોર્મ મેળવી અથવા દરેક જિલ્લાની રમત-ગમત કચેર ખાતેથી અથવા જૂનાગઢ સરદાર બાગ સ્થિત બહુમાળી ભવન બ્લોકનંબર-૧ ખાતેથી પ્રવેશપત્રો મેળવી તેમાં માંગ્યા મુજબની સઘળી વિગતો ભરીને ૨૬-૧૨-૧૮ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી, સરદાર બાગ બહુમળી ભવન પ્રથમ માળ ખાતે તા. ૨૬-૧૨-૨૦૧૮ સુધીમાં પહોંચતા કરવાનાં રહેશે. સમયમર્યાદા બહાર મળેલા અરજી પત્રકો સ્વીકારવામાં આવશે નહીં, વધુ વિગતો માટે રમત ગમત વિભાગની જૂનાગઢની કચેરીનાં સંપર્ક નંબર!૦૨૮૫- ૨૬૩૦૪૯૦ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયુ છે. 

  આગામી તા.૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ યોજાનાર ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન રાજ્ય સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતીક વિભાગ દ્વારા કરવામાં આવે છે. રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ગુજરાતભરમાંથી અરજીઓ માંગવામાં આવેલ અરજી સ્વીકારવાનો અંતિમ દિવસ ૨૬ ડીસેમ્બર-૧૮ હોવાથી આ સ્પર્ધામાં જોડાવા ઈચ્છતા સ્પર્ધકોએ વહેલી તકે અરજીઓ પહોંચતી કરવી. 

 અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ વર્ષની વયજુથમાં સિનિયર અને જુનિયર વીભાગમાં સ્પર્ધક ભાઇ બહેનો ભાગ લઇ શકશે. બન્ને વીભાગમાં ભાઇઓ માટેની સ્પર્ધા ગીરનાર તળેટીથી અ;બાજી મંદીર સુધીનાં ૫૦૦૦ પગથીયા અને બન્ને વીભાગની બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીનાં ૨૨૦૦ પગથીયા ચઢીને ઉતરવાનાં રહેશે. ભાઇઓની સ્પર્ધાનાં સમય મર્યાદા ૨-૦૦ કલાક અને બહેનોની સ્પર્ધા માટે ૧-૧૫ કલાક સમય મર્યાદા રહેશે. આ સ્પર્ધા નિયત સમયમાં પુર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

(12:14 am IST)