સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

વડીયાના ધનસુખપુરી ગોસ્વામીનું જેતપુર (કાઠી)માં એકટીવાની ઠોકરે ચડતાં મોત

ઇલેકટ્રીકનો સામાન લેવા ગયા ને ઠોકરે ચડી ગયાઃ બાવાજી પ્રોૈઢે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૬: અમરેલીના વડીયા ગામે મોરભાઇ ચોકમાં રહેતાં અને ઇલેકટ્રીક ચીજવસ્તુની દૂકાન ધરાવતાં ધનસુખપુરી રેવાપુરી ગોસ્વામી (ઉ.૫૪) નામના બાવાજી પ્રોૈઢ નજીકના જેતપુર (કાઠી) ગામે પંખાનો સામાન લેવા ગયા ત્યારે રસ્તા પર ચાલીને જતાં હતાં તે વખતે એકટીવાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ધનસુખપરી ગઇકાલે બપોરે પોતાના ગામથી નજીકના જેતપુર ગામે દૂકાનનો સામાન લેવા ગયા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર ધનસુખપુરી બે ભાઇ અને પાંચ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મોભીના મોતથી બાવાજી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે કાગળો કરી અમરેલી પોલીસને જાણ કરી હતી.

(11:49 am IST)