વાંકાનેર : અલ્હાબાદ-પ્રયાગરાજથી શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી બડા અખાડાનું આગમન
વાંકાનેર, તા. ૭ : અલ્હાબાદ તીર્થરાજ પ્રયાગરાજથી આવેલ શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી બડા અખાડા રમતા પંચ જે સતત ધર્મના પ્રચારાર્થે સમગ્ર ભારતભરમાં પર્યાટન કરતા રહે છે. આજે વર્ષોશ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (રમતા પંચ)ના સંતો પૂ. મહંતશ્રી સાથે કાયમ માટે સમગ્ર ભારતભરના ઉદાસીન આશ્રમોમાં ૧ર વર્ષે એકવાર પધારે છે.
આ શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન બડા અખાડાનું આગમન તા. ૮-ના રોજ મોરબીના પૂ. સંતશ્રી કલ્યાણદાસ બાપુના શ્રી ઉદાસીન આશ્રમ ખાતે આગમન થઇ રહ્યું છે. ત્યાર બાદ જામનગર જિલ્લા તરફ આ અખાડો જશે. જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભામાં આવેલ ધાર્મિક સ્થળ 'શ્રી ઉદાસીન આશ્રમ'માં સિદ્ધ સંત બ્રહ્મલીન પૂજયપાદ સદ્ગુરૂદેવ શ્રી કરણદાસજી બાપુ એક મહાન તપોમૂર્તિ હતા જેમને પરમ વંદનીય સદ્ગુરૂદેવ શ્રી ભોલેબાબાજી સાથે અપાર સ્નેહ ભાવ હતો. પૂ. સંતશ્રી ભોલેબાબાજી પણ બાલંભા અવાર નવાર રોકાતા હતા. પૂ. સંતશ્રી કરણદાસ બાપુએ જમાતને 'હાથી'ના દાન દીધા હતા. હાલમાં આ જગ્યામાં મહંત તરીકે પૂ. શ્રી હરિદાસજી બાપુ બીરાજે છે.. ઉદાસીન પંચાયતી બડા અખાડા (અલ્હાબાદ)થી બાલંભામાં આગમન થઇ રહ્યું છે જેથી ભાવિકોમાં ઉત્સાહ જોવા મળે છે. ત્યાર બાદ શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (અલ્હાબાદ પ્રયાગરાજ)ના રમતા પંચની જમાત જામનગર જિલ્લામાં જશે તેમજ રાજકોટના ઉદાસીન આશ્રમે પણ જશે તેમજ ગીર પંથકમાં જુનાગઢ, તાલાલા ગીર, સાગોદ્રા મનસાધામ-ઉદાસીન આશ્રમ-જામવાળા સમગ્ર ગીર પંથકમાં સૌરાષ્ટ્રમાં હાલાર પંથકમાં અત્યારે આગમન થવાનું છે. કચ્છમાંથી મોરબી આગમન થયું રહ્યું છે.તેમ ઉદાસીન ભકત હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે.