સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th November 2019

રાજુલાના રામપરા-ર ગામમાં કાલેઠાકોરજી વિવાહ અન્નકુટ ઉત્સવ

કોડીનાર તા.૭:  રાજુલાના રામપરા-ર ગામે આવેલ રામદાસબાપુની તપોભુમિ, વૃન્દાવન બાગમાં મહંત શ્રી રાજેન્દ્રદાસબાપુની રાહબરી હેઠળ સવંત ર૦૭૬ના કારતક સુદ ૧૧ને કાલે શુક્રવાર તા.૮ના રોજ અન્નકુટ મહોત્સવ અને ભગવાન ઠાકોરજીના વિવાહનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.

ઠાકોરજીની જાન વૃન્દાવન બાગથી કવરબેન સોંડાભાઇ વાઘ - રામપરા-ર મુકામે જશે. જેના વર પક્ષના દાતાશ્રી લાલાભાઇ આતાભાઇ વાઘ તથા ભવાભાઇ કાથડભાઇ વાઘ રહેશે.

આ ઉપરાંત આ પ્રસંગે અખંડ રામપરાયણ તથા સુંદરકાંડનો પાઠ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

હરિભકતોએ લાભ લેવા વૃન્દાવન બાગના મહંત અને અધ્યક્ષ શ્રી પંચ નિર્મોહિ અને અખાડા  રાજેન્દ્રદાસબાપુએ અપીલ કરી છે.

(11:34 am IST)