દ્વારકા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દીપાવલી પર્વ નિમિતે આરંભડાના જલારામ મંદિરે મીઠાઇ ફરસાણ વિતરણ
મીઠાપુર : ઓખામંડળ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ઇશ્વરભાઇ ઝાંખરીયા દ્વારા આ વર્ષેઓખામંડળ અને બારાડી વિસ્તારમાં રઘુવંશી ગંગાસ્વરૂપ બહેનો તથા જરૂરીયાતમંદ પરિવારોમાં દિવળીને અનુલક્ષીને મીઠાઇ તથા ફરસાણ વિતરણ કરવામાં આવ્યું. મીઠાપુરના આરંભડા ખાતે આવેલા શ્રી જલારામ મંદિરે ત્યાં જલારામ આવાસમાં રહેતા રઘુવંશી પરિવારો તથા મીઠાપુર, સુરજકરાડી, ભીમરાણા તથા આરંભડામાં રહેતા રઘુવંશી ગંગાસ્વરૂપ બહેનોને મીઠાઇ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્થાનિક રઘુવંશી આગેવાનોમાં શ્રી મનસુખભાઇ બારાઇ, અનુપમભાઇ બારાઇ, શ્રીમતી વંદનાબેન વિઠાણી, મુકેશભાઇ કાનાણી, પરીમલભાઇ દાસાણી, મુકુંદભાઇ બદીયાણી, મયુરભાઇ સામાણી તથા દિવ્યેશભાઇ જટણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તકે ત્યાં દ્વારકાથી પધારેલા શ્રી ઇશ્વરભાઇ ઝાંખરીયાને સૌ આગેવાનો તથા રઘુવંશી પરિવારોએ વધારી લીધા હતા. આ પ્રસંગે ૪૪ જેટલા મીઠાઇ તથા ફરસાણના બોક્ષનું વિતરણ કરાયું હતું. (તસ્વીર-અહેવાલ-દિવ્યેશ જટણીયા-મીઠાપુર)