સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

જુનાગઢ નજીક પરશુરામધામનું પુ.મુકતાનંદબાપુના હસ્તે ભુમિપુજન

જુનાગઢ :ઇવનગર રોડ પર સોનારડી પાસે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા (૬ વિઘા જમીન ખરીદેલ) જેમા આગામી દિવસોમાં પરશુરામધામનું નિર્માણ કરવામાં આવનાર છે. ગઇકાલે દશેરાના પાવનપર્વ આ પરશુરામધામનું  અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પુ.મુકતાનંદબાપુના હસ્તે ભુમિપુજન કરાયુ હતુ. આ તકે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંથાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ વિશાલ જોષી : મહામંત્રી પી.સી.ભટ્ટ, પરાગ પંડયા ધારાસભ્ય ભીખાભાઇ જોષી નાયબ મામલતદાર મહેશ શુકલા, લલિત જોષી, કમલેશ ભરાડ અમિત વેગડા, શશીકાંત બોરીસાગર સહિતના ઉપસ્થિત રહયા હતા. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા)

(2:08 pm IST)