News of Friday, 7th October 2022
કાલે વિંછીયાના રાબાસમઢીયાળાં શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવ
ભાવનગર, તા.૭: ભકતો જે મને કામના ઇચ્છે એ પરીપૂર્ણ થાય છે.
વિંછીયા પાસે રાબાસમઢીયાળા ગામે આવેલ સ્વયંભુ ધારેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ કાલે તા.૮/૧૦/૨૦૨૨ના દિવ્યતાસભર ઉજવાશે.
પ્રખર ગૌ ભકત અને સંસ્કૃતના ઉચ્ચ કોટીના મહંત પૂ.શ્રી કનૈયાગીરીબાપુ (સદગુરૂ શ્રી મણીગીરીબાપુ)ના જણાવ્યા અનુસાર પાટોત્સવ સમારોહમાં યજ્ઞ, ધુન, ભજન, સંકિતર્ન, સામુહિક મહાપ્રસાદ સહીતના વિધ-વિધ કાર્યક્રમનું આયોજન થયુ છે.
(11:32 am IST)