વિંછીયા નજીકના પિંગલાધાર ખોડિયાર માતાજીના મંદિરે શરદોત્સવ ઉજવાશે
(ધર્મેશ કલ્યાણી દ્વારા): જસદણ, તા.૭: વિંછીયા ગામમા પિંગલાધાર ખોડિયાર માતાજીના મંદિરે તા. ૯/૧૦/૨૦૨૨ રવિવારે શરદ પૂર્ણિમાની રાત્રે પાંચાળની ભાતીગળ સંસ્કૃતિ અને અસ્મિતાની આગવી ઓળખ સમા પ્રાચીન રાસ ગરબા યોજાશે જેમાં પાંચાળ પ્રદેશના રાસ ગરબા માણવા પ્રદેશમાંથી ગરબી મંડળની દીકરીઓ મહેમાનો હજારો લોકો ઉમટી પડશે અને લોક સંસ્કૃતિની દિવ્ય ઝાંખી અને સર્વ સમાજ એકતાના દર્શન કરવા અને વિંછીયા પિંગલાધાર ખોડિયાર માતાજીના દર્શનનો લાભ લેવા ખોડીયાર માતાજી સમસ્ત સેવકગણ અને આયોજકો ખોડીયાર મંદિરના પૂજારી ધીરૂભાઇ ઓળકીયા, કાલભૈરવ દાદાના પૂજારી હરેશભાઇ કાલીયા તેમજ હકાભાઈ રાજપરા,અરવિંદભાઈ રાજપરા અને સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ સમગ્ર પાંચાળ વાસીઓને રાસ ગરબા મહોત્સવમા પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.