બિમારીથી કંટાળી જૂનાગઢના યુવાનનો ભવનાથમાં આપઘાત
ઝેરી દવા પીતા કેશોદના યુવાનનું મોત
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩ : બિમારીથી કંટાળી જૂનાગઢના યુવાનને ભવનાથમાં ગળાફાંસો ખાઇ લેતા મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
જૂનાગઢમાં આમગ્રોળ રોડ સ્થિત ૬૬ કિમી વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષીય પરસોતમભાઇ એભલભાઇ બાલસ ભંગદરની બિમારીથી પીડાતા હતા.
એક માસ અગાઉ ઓપરેશન પણ કરાવેલ છતાં ફરક નહિ પડતા આખેર બિમારીથી કંટાળી જઇને પરસોતમભાઇએ ભવનાથ ઇન્દ્રેશ્વર રોડ પર આવેલ વન વિભાગની ઓફિસ પાસે ગળાફાંસો ખાઇ લીધો હતો.
આ અંગેની જાણ થતાં ભવનાથ પોલીસે દોડી જઇ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોત
કેશોદના ઇન્દિરાનગરમાં રહેતા સાહિબ મુકેશભાઇ સાગઠીયા નામના યુવાને કોઇ કારણસર ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.