સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

વિંછીયામાં જળના વધામણા કરતા બાવળીયા

જસદણ : કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગઇકાલે વિંછીયાના રેવાણીયા તળાવ ખાતે જળપૂજન કરીને નવા નીરના વધામણા કરી લોકો સાથે સંવાદ કર્યો. તેમજ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગોમા નદીની સફાઇનું આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ સ્વચ્છતાનો સંદેશ આપી લોકોને પણ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી તે તસ્વીર. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)

(11:46 am IST)