સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

સુરેન્દ્રનગર : મેદાન પર વૃક્ષ રોપાયું, મહિલાઓ વૃક્ષ ફરતે ગરબે ઘૂમી

સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલા વિશાલગ્રાઉન્ડ અલકાપુરી મિત્ર મંડળ દ્વારા આ વર્ષે માતાજીનો નવરાત્રી મહોત્સવ યોજાયો જેમાં ગરબે દ્યૂમવા માટે મહિલાઓ ઉપટી પડી હતી. અલકાપુરી મિત્રમંડળ ગરબાના આયોજક ભુપેન્દ્ર શાહે જણાવ્યું કે  છેલ્લા બે દાયકાથી ફકત મહિલાઓ માટેની નવરાત્રી યોજાય છે. આ વર્ષે અમે આ નવરાત્રી મહોત્સવમાં એક વૃક્ષ રોપ્યું છે. વડાપ્રધાન મોદીના પર્યાવરણ અભિયાન અંતર્ગત અમે લોકોને સંદેશો આપવા માંગીએ છીએ કે વૃક્ષો વાવો અને તેનું જતન કરો. આજે અમે રોપેલું આ છોડ વૃક્ષ ન બને ત્યાં સુધી તેની કાળજી લઈશું અને જતન કરીશું. અલકાપુરી મિત્રમંડળ નવરાત્રીના સહઆયોજક તારાચંદ કેલાએ જણાવ્યું કે આ કાર્યક્રમ ફકત મહિલાઓ માટે જ છે. અહીંયા સુરેન્દ્રનગર, વઢવાણ, તેમજ આસપાસના વિસ્તારોના સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિના પરિવારની મહિલાઓ ગરબે દ્યૂમે છે. અમે આ વૃક્ષ વાવીને નવી પહેલ કરી છ.

(12:04 pm IST)