સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

તળાજાના સરતાન પર બંદરમાં ધીંગાણુ : ૩ મહિલા સહિત ૧૩ને ઇજા

બે પરિવાર વચ્ચે જુની અદાવતમાં બઘડાટીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભાવનગર તા.૭: ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદર ગામે બે પરિવારો વચ્ચે કોઈપણ કારણો સર તીક્ષ્ણ અને બોથડ પદાર્થ ધારણ કરી એક બીજા પર હુમલો કર્યો હતો.હુમલા માં મૂંઢ અને લોહિયાળ ઈજાઓ સાથે અહીંની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવ ના પગલે પોલીસ દોડી ગઈ હતી. તળાજા સરતનાપર બંદર ગામે ચકચાર મચાવતા બનાવની મળતી રેફરલ હોસ્પિટલ પરથી મળતી પ્રાથમિક વિગતો મુજબ સાંજના સુમારે બારીયા અને મકવાણા પરિવારના સભ્યો કોઇપણ કારણો સર હાથ લાગ્યુ તે હથિયાર લઈ ઉશ્કેરાટ સાથે તૂટી પડ્યા હતા. એકબીજા પર કરવામાં આવેલ હુમલામાં બન્ને પક્ષે મળી ત્રણ મહિલાઓ સહિત તેરને ઈજાઓ થઈ હતી.

મોટર સાયકલ જેવા વાહનો અને તળાજા ૧૦૮ ના ઈએમટી દિનેશ દિહોરા,પાયલોટ ઋષિરાજસિંહ સરવૈયા દ્વારા તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ઇજાગ્રસ્તોમા રાજુ ભટુરભાઈ બારીયા, મુના ભટુરભાઈ બારીયા,વિપુલ ભટુરભાઈ બારીયા,વિજય ભટુરભાઈ બારીયા,શિવુબેન ભટુરભાઈ બારીયા,ભાવેશ મથુરભાઈ બારીયા ને ઈજાઓ થવા પામેલ.સામાપક્ષે ભાવેશ રામજીભાઈ મકવાણા,રામજી શિબાભાઈ મકવાણા, ભરત વિક્રમભાઈ મકવાણા,વિક્રમ શિબાભાઈ મકવાણા,હેતલબેન શિબાભાઈ મકવાણા, ભગીરથ  શિબાભાઈ મકવાણા, જમનાબેન વિક્રમભાઈ મકવાણા ને નાની મોટી ઈજાઓ થવા પામેલ.

બનાવના પગલે તળાજા પોલીસ સરતાનપર બંદર ખાતે દોડી ગયેલ.બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

(11:41 am IST)