સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th September 2018

તળાજાના દિહોર ગામે કુવામાં પડી જતા ખેડૂત યુવાનનું મોત

ભાવનગર તા ૭ : તાલુકાના દિહોર ગામે વાડીમા આવેલ કુવા પર સિંચાઇના પાણી માટે કામ કરતા ખેડૂત પુત્રનું અકસ્માતે કુછામાં પડી જતાં મોત નિગજેલ છે.

તળાજા પોલીસ પાસેથી અકસ્માતે મોત અંગેની જાણવા મળતી હકીકત પ્રમાણે ગઇકાલ બપોરના ૧૨ વાગ્યાના સુમારે અરવિંદ સડથાભાઇ બારૈયા (ઉ.વ.૨૫) વાડીએ આવેલ કુવામાં અકસ્માતે પડી જતા મોત નિપજયાના બનાવ સબંધે મૃતકના ભાઇ ગોરધનભાઇ સડથાભાઇ બારૈયાએ પોલીસને જાણ કરતા કાનુની કાર્યવાહી હાથ ધરી છે. (૩.૪)

 

(12:25 pm IST)