News of Friday, 7th August 2020
અમદાવાદ આગ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને પૂ.મોરારીબાપુ દ્વારા રૂ.પ-પ હજારની સહાય
ભાવનગર-કુંઢેલી તા.૭: ગઇકાલે અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં આગની દુર્ઘટના બનવા પામી હતી જેમાં ૮ લોકોએ પોતાનો પ્રાણ ગુમાવ્યો હતો અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આઠ હતભાગી મૃતકોના પરિવારજનોને શ્રી હનુમાનજીની સાંત્વનારૂપે મોરારિબાપુએ પ્રત્યેક મૃતકને પાંચ હજારની સહાય મોકલાવેલ છે. કુલ ૪૦ હજારની સહાયતા રાશી મોકલવામાં આવશે જે અમદાવાદ સ્થિત મુકેશભાઇ પટેલ દ્વારા પહોંચતી કરવામાં આવશે.
મોરારીબાપુએ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી પરિવારજનોને સાંત્વના પાઠવી છે.તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે.
(2:43 pm IST)