સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th August 2020

જૂનાગઢમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 44 કેસ પોઝીટીવ : ત્રણ લોકોના મોત

શહેરમાં 26 કેસ અને તાલુકામાં 4 કેસ:વિસાવદરમાં 4 કેસ, વંથલીમાં 3 કેસ, કેશોદ -માળિયામાં 2- 2 કેસ અને મેંદરડા,ભેસાણ અને માંગરોળમાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે  વધુ 44 કેસ પોઝીટીવ નોંધાયા છે અને  ત્રણ લોકોના મોત  નિપજ્યા છે જોકે અન્ય બીમારી પણ હતી આખરી રિપોર્ટ કમિટી નક્કી કરશે આજે જૂનાગઢ શહેરમાં 26 કેસ પોઝિટિવ નોંધાયા છે જયારે જૂનાગઢ તાલુકામાં 4 કેસ:વિસાવદરમાં 4 કેસ, વંથલીમાં 3 કેસ, કેશોદ -માળિયામાં 2- 2 કેસ અને મેંદરડા,ભેસાણ અને માંગરોળમાં એક એક કેસ  નોંધાયો કજ્જે આજે વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

 

(10:31 pm IST)