સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th August 2018

વાંકાનેર એસ.ટી. કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે રજૂઆત

વાંકાનેર, તા. ૭ : સાતમા પગાર પંચનો લાભ, ડ્રાઇવરો કંડકટરોને વર્ગ-૩ની કક્ષાના લાભો-ભથ્થાઓ, મહિલા અધિકારીઓ, કર્મચારીઓ માટે દરેક ડેપો એકમ ખાતે આરામગૃહ, ટોઇલેટ સહિતની સુવિધાઓ, પરિપત્ર નં. ર૦૭૭ રદ કરવો, સસ્પેન્શનની જોગવાઇના દુરૂપયોગને દૂર કરવા સહિત વાંકાનેર એસ.ટી. અધિકારીઓ-કર્મચારીઓના પડતર પ્રશ્નો-માંગણીઓ અર્થે આગામી ૬-૭ અને ૮ ઓગષ્ટે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શનો યોજાશે. તા. ૧૩ અને ૧૪ ઓગસ્ટે સુત્રોચ્ચાર કાર્યક્રમો યોજાશે. તા. ર૦ અને ર૧ ઓગસ્ટે રાધુન કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમ એક યાદીમાં જણાવાયેલ છે. (૮.૧૦)

(12:03 pm IST)