સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th July 2021

કચ્છના બિરડા ગામે મોબાઇલ ફોન રાખવાના ઝઘડામાં યુવાન પત્નીએ જીવ દીધો

હજી બે મહિના પૂર્વે જ લગ્ન થયા હતા અને પતિ પત્ની વચ્ચે મોબાઇલને કારણે માથાકૂટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૭ :  મોબાઈલ ફોન વગર આજે ચાલતું નથી એ હકીકત છે. તો, મોબાઈલ ની આદત અનેક વખત પરિવારમાં કંકાસનું કારણ બનતી રહે છે.

માંડવીના બિદડા ગામે નવ વિવાહિત દંપતી વચ્ચે મોબાઈલના કારણે થયેલ માથાકૂટમાં પત્નીએ જીવ દીધો હતો. ૨૦ વર્ષીય પૂજાબેન ઉર્ફે પ્રાચી દીવ્યગીરી ગોસ્વામી એ પોતાને ઘેર ગળે ફાંસો ખાઈ લીધો હતો.  બે મહિના પહેલાં જ પરણેલી નવોઢા પત્ની અને પતિ વચ્ચે મોબાઈલ ફોન વાપરવાના પ્રશ્ને સતત કજીયા થતાં અંતે પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:49 am IST)