સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

મોરબીના ભોંયરામાં ફસાયેલી ગાયને રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને બચાવી

મોરબી તા. ૭ : દરબાર ગઢ નજીક આવેલા ભોયરામાં ગાય ખાબકી હતી અને ઘટનાની જાણ થતા ગૌશાળાની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ગાયને બચાવવા માટે રેકસ્યું ઓપરેશન હાથ ધર્યું છે.

મોરબીના દરબાર ગઢ પાસે ઝુલતા પુલ નજીક સવારના સમયે એક ગાય ભોયરામાં ખાબકી હતી અને ગાય ભોયરામાં ફસાઈ હતી જેની જાણ થતા યદુનંદન ગૌશાળાની ટીમને જાણ કરતા તુરંત ટીમ દોડી આવી હતી અને ગાયને સલામત રીતે બહાર કાઢવા ગૌરક્ષકોએ રેસ્કયુ ઓપરેશન શરુ કર્યું હતું જોકે ગાય સલામત સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે અને ગાયને સલામત બહાર કાઢવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

(1:27 pm IST)