પારડીમાં છાત્ર અમન બકરાણીયોના ફાંસો ખાઇ આપઘાતઃ કારણ અંગે તપાસ
સ્કુલેથી આવ્યા બાદ ઘરે આપઘાત કરી લીધોઃ સુથાર પરીવારમાં અરેરાટી
તસ્વીરમાં સગીરનો મૃતદેહ અને લોકોના ટોળા નજરે પડે છે. ઇન્સેટ તસ્વીરઅમનની છે.(તસ્વીરઃ કમલેશ વાસાણી-શાપર-વેરાવળ)
શાપર-વેરાવળ, તા., ૭: શાપર-વેરાવળ નજીકના પારડી ગામમાં ધો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરે આવી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળ પાસે પારડી ગામે રહેતા અમન કિશોરભાઇ બકરાણીયા (ઉ.વ.૧૬) ગઇકાલે સાંજે સ્કુલેથી પરત ફરી ઘરમાં ચુંદડીની ફાંસો ખાઇ આઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પીએસઆઇ સિંધુ તથા એએસઆઇ નાથાલાલ રાઠોડ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જતો હતો અને મૃતકની લાશને ે પીએમ માટે કોટડા સાંગાણી હોસ્પીટલે ખસેડી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક અમન બે ભાઇ અને બે બહેનોમાં સૌથી નાનો હતો અને ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. અમનના પિતા અને તેનો મોટો ભાઇ સુતારી કામ કરે છે. એક બહેન પરીણીત છે. છાત્ર અમને કયાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે છાનભીન્ન શરૂ કરી છે. વધુ તપાસ એએસઆઇ નાથાલાલ રાઠોડ ચલાવી રહયા છે.
પરીવારના નાના પુત્રના મોતથી સુથાર પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.