સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ધ્રાંગધ્રાઃ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મઃ ર સંતાનના પિતા સામે ફરીયાદ

વઢવાણ, તા., ૭: ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ખાતે બે સંતાનના પિતા દ્વારા માત્ર ૧૭ વર્ષની સગીરાને આ વિસ્તારમાં જ રહેતો દિલીપ રાઘવજી રાઠોડ નામનો શખ્સો લલચાવી પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવેલ જયારે એક વર્ષ સુધી આ સગીરાને પ્રેમની લાલચ આપી બાદમાં દુષ્કર્મ આચરતો રહેતો હતો.

ત્યારે આ સગીરાને ધ્રાંગધ્રાથી પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઇ ગયા બાદ રાજયના કેટલાક સ્થળોએ પણ દુષ્કર્મ આચર્યુ હોવાનું સગીરા દ્વારા જણાવવામાં આવેલ છે. ત્યારે સગીરાએ લગ્નની વાત કરતા તુરત જ આ હવસખોર યુવાન દ્વારા લગ્નની ના પાડતા આ સગીરા ચોંકી ઉઠેલ હતી.

ધ્રાંગધ્રા પોલીસમાં ફરીયાદ નોંધાવતા યુવતીને ચેકઅપ માટે લઇ જઇને યુવાનની ધરપકડ કરી તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

(12:46 pm IST)