News of Saturday, 7th July 2018
સફાઇ કામદારોની હડતાલના પગલે સોમનાથ મંદિર પાસે કચરાના ઢગલા
પ્રભાસપાટણ : નગરપાલિકાના સફાઇ કામદારોની હડતાલને કારણે સોમનાથ મંદિરની પાછળ અને પ્રભાસપાટણમાં ઠેક ઠેકાણે ગંદકી જોવા મળે છે આ સફાઇ કામદારોની હડતાલ લાંબી ચાલશે તો પ્રભાસપાટણના રહિશો હેરાન-પરેશાન થશે અનેરોગચાળાનો ભોગ બનશે.
પ્રભાસપાટણ ગીચ વસ્તી અને સાંકડી બજારો અને ગલી મહોલ્લાને કારણે જયાં-ત્યાં કચરાને કારણે લોકોને ખુબજ અડચણ ઉભી થયેલ છ ેતેમજ કચરાને કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડે છે જેથી નગરપાલિકા દ્વારા સફાઇ કામદારોના પ્રશ્નોનો વહેલી તકે નિવેડો લાવે જેથી લોકોને ગંદકીમાંથી રાહત મળે તેવી માંગણી પ્રવર્તી રહી છે. તસ્વીરમાં મંદિર આસપાસ થયેલ કચરો નજરે પડે છે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ, પ્રભાસણ પાટણ)
(11:51 am IST)