સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

કાલે જામનગરમાં રૂ.૮૪ કરોડના લોકઉપયોગી કામોનું રાજયમાં મંત્રીઓના હસ્તે લોકાર્પણ

જામનગર, તા.૭:  કાલે તા.૦૮  રવિવારે કૃષિ મંત્રી આર.સી.ફળદુ તેમજ રાજયના ઉર્જા અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તે જામનગર શહેરમાં રૂ.૮૪ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થશે.આ કાર્યક્રમોમાં સૌપ્રથમ બેડી બંદર રોડ પર લેવલ ક્રોસીંગ નંબર ૧૯૭ પરના ઓવરબ્રીજનું લોકાર્પણ સવારે ૧૦ૅં૦૦ કલાકે કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે, ત્યારબાદ પોલીસ હેડ કવાર્ટર પાછળ EWS -૨ ના ૨૮૮, LIGના ૩૦૦ અને લાલવાડી ખાતેના EWS-૨ ના ૨૮૮ આવાસ મળી કુલ ૮૭૬ આવાસોનું લોકાર્પણ તેમજ લાભાર્થીઓને મકાનની સોપણી કરવામાં આવનાર છે. તેનો મુખ્ય કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે શરૂ સેકશન રોડ, પોલીસ હેડ કવાર્ટર પાછળ, જામનગર ખાતે યોજાશે.

(11:37 am IST)