સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ધ્રાંગધ્રામાંથી ગુમ થયેલા ત્રણ બાળકો અમદાવાદમાં મળ્યા

ધ્રાંગધ્રા :.. વર્તમાન સમયમાં બાળકો પકડી જતી ગેંગની અફવાએ જોર પકડયું છે, ત્યારે ધ્રાંગધ્રા શહેરમાંથી ત્રણ બાળકો એક સાથે ગુમ થયા હતા તેમના પરિવાર માટે આભ તુટી પડયું હોય તેવી પરિસ્થિતિ સર્જાય હતી. તેવામાં અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી ત્રણેય બાળકોની ભાળ મળી હોવાની  વિગત પ્રાપ્ત થઇ હતી. ત્રણેય બાળકો જાતે જ ઘરેથી ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. રેલ્વે પોલીસે શંકાસ્પદ બાળકોની પુછપરછ કરતા ધ્રાંગધ્રાના વતની હોવાનું જણાવ્યુ હતું. જેથી તરત ધ્રાંગધ્રા સીટી પોલીસનો સંપર્ક કરતા ખરેખર આ બાળકો ગુમ થયેલા  હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સીટી પોલીસની એક ટીમ તથા પરિવારજનો અમદાવાદ બાળકોનો કબ્જો મેળવવા માટે રવાના થયા હતાં.

(11:47 am IST)