News of Saturday, 7th July 2018
કાલે જામનગરમાં રૂા.૮૪ કરોડના લોકઉપયોગી કામોનું રાજયમાં મંત્રીઓના હસ્તે લોકાર્પણ
જામનગર, તા.૭: કાલે તા.૦૮ રવિવારે કૃષિ મંત્રી આર.સી.ફળદુ તેમજ રાજયના ઉર્જા અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તે જામનગર શહેરમાં રૂ.૮૪ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થશે.
આ કાર્યક્રમોમાં સૌપ્રથમ બેડી બંદર રોડ પર લેવલ ક્રોસીંગ નંબર ૧૯૭ પરના ઓવરબ્રીજનું લોકાર્પણ સવારે ૧૦:૦૦ કલાકે કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે, ત્યારબાદ પોલીસ હેડ ક્વાર્ટર પાછળ EWS -૨ ના ૨૮૮, LIGના ૩૦૦ અને લાલવાડી ખાતેના EWS-૨ ના ૨૮૮ આવાસ મળી કુલ ૮૭૬ આવાસોનું લોકાર્પણ તેમજ લાભાર્થીઓને મકાનની સોપણી કરવામાં આવનાર છે.
તેનો મુખ્ય કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે શરૂ સેક્શન રોડ, પોલીસ હેડ ક્વાર્ટર પાછળ, જામનગર ખાતે યોજાશે
(10:44 am IST)