સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

જેતપુરઃ ખોડલધામ મંદિરના હોદેદારો દ્વારા સન્માન

નવાગઢઃ ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા ગત રોજ સૌરાષ્ટ્રની સફરે હતા. અનેકો શહેરોના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે 'માં'ના ચરણોમાં વંદન કરવા જવાનુ ચૂકયા ન હતા. મનસુખભાઈ સાથે સાંસદ રમેશ ધડુક, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા સહિતનો રસાલો 'માં'ના ધામે પહોંચ્યો ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તેઓનું અદકેરૂ સ્વાગત કરાયુ હતું ને ખોડલધામ મંદિરના મંત્રી અને રાજકોટના ઉચેરા બિલ્ડર જીતુભાઈ પટેલ તથા જેતપુરના મોટા ગજાના યુવા ઉદ્યોગપતિ શૈલેષભાઈ હીરપરાએ મનસુખભાઈ તથા રમેશભાઈને 'માં' ખોડલની છબી પ્રસાદી રૂપે એનાયત કરી હતી. (તસ્વીર-અહેવાલઃ નીતિન વસાણી-નવાગઢ)

(1:45 pm IST)