સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

સુન્ની વડા કાલે જામનગરમાં

સચાણાના કિનારે ઉર્ષમાં કાલે રાત્રે તોસીફ રઝાખાનની થનારી તકરીર : આંલા-હઝરતના પૌત્રની પધરામણીથી હર્ષ

જામનગર તા.૭: વિશ્વ વિખ્યાત સુન્ની મુસ્લિમ ધર્મગુરૂ હઝરત મૌલાના તૌસીફરઝાખાન આવતીકાલે સૌરાષ્ટ્ર પધારી રહ્યા હોઇ સુન્ની સમાજમાં ઉત્સાહ વ્યાપી ગયો છે.

આલા-હઝરત ઇમામ અહેમદરઝાખાન સાહેબ (રહ)ના પૌત્ર અને એશિયાભરના જાણીતા વકતા,તાજુસ્સુન્નાહ હઝરત મૌલાના તૌસીફરઝાખાન (બરૈલી શરીફ) કાલે શનિવારે વિમાન માર્ગે પહોંચી રહ્યા છે અને સાંજે બેડેશ્વર (જામનગર) પધારશે. સચાણા ગામના દરિયાકિનારે આવેલા ઔલીયા હઝરત કાજનશાહ પીરના ઉર્ષ અને જશ્ને રઝાના કાલે શનિવારે રાત્રે સચાણા ગામે યોજાયેલ ભવ્ય જલ્સામાં તેઓ હાજર રહી તકરીર કરનાર છે.

ઓલ ઇન્ડીયા સુન્ની જમીઅતુલ અવામ દ્વારા આ કાર્યક્રમ યોજાયો છે તેમ ઉસ્માનગની ક્રમોરાએ એક યાદીમાં જણાવ્યું છે.

(1:33 pm IST)