સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

જુનાગઢમાં ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણઃ

જુનાગઢઃ ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન અને મહાત્મા ગાંધી સ્કુલ ઓફ નર્સિગના સંયુકત ઉપક્રમે આ સંસ્થાના વડા ડો.ડી.પી. ચિખલીયાના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નર્સીગ સ્કુલના સાર્વજનિક પ્લોટ ખાતે ટ્રસ્ટી અમુભાઇ પોકિંયા ડો.શ્વેતલ ભાવસાર સહિતના ઉપસ્થિતીમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ એ વેળાની તસ્વીરમાં વૃક્ષારોપણ કરતા સર્વે નજરે પડે છે આ તકે પર્યાવરણ અને પ્રકૃતિના જતન વિશે ડો ભાવસારે માર્ગદર્શન આપી મહિમા સમજાવ્યો હતો આ તકે ઉમેદગામી તેમજ ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશનના સભ્યો અને નર્સિગ સ્કુલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા)

(12:26 pm IST)