માંડવી-જામનગર બસ સામખીયાળી પુલ નજીક બંધ થતા મુસાફરો પરેશાન
મોરબી, તા.૭: માંડવી-રાજકોટ-જામનગર એસટી બસમાં માંડવીથી પેસેન્જર લઈને નીકળતા તેમાં મુસાફરી કરી રહેલ મોરબી, રાજકોટ તેમજ જામનગર જવા માટે નીકળેલા મુસાફરો છેલ્લી છ કલાક થી કચ્છ હાઇવે એસટી બસ બંધ થઇ જતા પરેશાન થયા હતા.તો ઙ્ગબંધ થયેલ એસટીની જગ્યાએ બીજી કોઈ બસની વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરો કલાકો સુધી હાઈવે પર રઝળી પડયા હતા
કચ્છ જિલ્લામાંથી રાજકોટ, જામનગર અને મોરબી તરફ જવા માટે રાત્રે છેલ્લી ઉપડતી માંડવી જામનગર બસમાં ઘણા મુસાફરો પોતાની મંઝિલ સુધી જવા માટે મુસાફરી કરી રહ્યા હતા. આ બસ આશરે રાત્રે પોણા વાગ્યાના અરસામાં સામખયારી પુલ પાસે પહોંચી ત્યારે કોઈ કારણોસર બંધ થઈ ગઈ હતી જેથી મુસાફરો દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને તેની જાણ કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ ભુજ - ભચાઉ અને માંડવી આ ત્રણેય જગ્યાના ડેપો મેનેજરના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પણ ફોન બંધ આવતા હોવાથી મુસાફરો તેની સાથે વાત કરી શકયા ન હતા અને જયારે એસ.ટી.ના કસ્ટમરકેર નંબર ઉપર વાત કરી ત્યારે ત્યાંથી પણ તેઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને છેલ્લી છ કલાકથી મુસાફરો સામખયારી પુલ પાસે એસટી બસને રાહ જોઈને બેઠા હતા.