સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

સુરેન્દ્રનગરના સાંસદ ડો.મુંજપરા ધારાસભ્ય ધનજીભાઇનું ખેરાળીમાં અદકેરૂ સન્માન

વઢવાણ તા.૭ : સમગ્ર ગુજરાતના સંસદ સભ્યોનુ પોતાના લોકસભા વિસ્તારમાં દરેક સરપંચો દ્વારા સન્માન તેમજ અભિવાદન કાર્યક્રમ કરવાનુ સરપંચ પરિષદ ગુજરાતનું એક લક્ષ્ય હતુ. જેના અનુસંધાને ગુજરાતના ચેરમેન જુવાનસંગ ડોડીયાના જીલ્લા સુરેન્દ્રનગરમાં ચુંટાયેલા સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા તેમજ વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલનું સુરેન્દ્રનગરના ખેરાળી ગામે ભવ્ય સન્માન કરાયુ હતુ.

સાથોસાથ ઇન્ડીયન આર્મી માંથી પોતાની ફરજ પુર્ણ કરી નિવૃત થતા ગામના યુવાન રણજીતસિંહ ભરતસિંહ ડોડીયાનુ પણ એક આર્મીમેનને છાજે તેવુ સન્માન કરાયુ. સેવા નિવૃત થતા રણજીતસિંહ ડોડીયા પોતાના માદરેવતન પરત ફરતા રેલ્વે સ્ટેશન પર ૧૦૦ જેટલા બુલેટો, ખુલ્લી જીપો તેમજ અસંખ્ય લોકો સાથે રેલી સ્વરૂપે ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયુ હતુ.

આ કાર્યક્રમ ડોડીયા કુટુંબના સુરાપુરા એવા મેપાભાના પવિત્ર પટાંગણમાં રખાયો હતો. જેમાં સમાજના આગેવાનો જેવા કે વીએસમોરી, જી.એસ.ડોડીયા, જશવંતસિંહ ડોડીયા, સામતભાઇ ડોડીયા, હકાભાઇ ડોડીયા સહિતના અનેક કારડીયા સમાજના આગેવાનો ગ્રામજનો તેમજ નિવૃત આર્મીમેનો હાજર રહ્યા હતા.

સરપંચ પરિષદના આ કાર્યક્રમને દિપાવવા અને સાંસદોનું સન્માન કરવા વડોદરાના સરપંચ પરિષદના પ્રમુખ નિખીલભાઇ પટેલ, અમરેલી સરપંચ પરિષદના પ્રમુખ અરવિંદભાઇ કાછડીયા, સોજીત્રા સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, સરપંચ પરિષદ મહામંત્રી મુકેશ સખીયા, ચેરમેન જુવાનસંગ ડોડીયા તેમજ સરપંચ પરિષદના દિનેશભાઇ પટેલ, આશીષભાઇ ટીલાવત અને મહિલા સરપંચશ્રીઓ સહિતના અનેક સરપંચો હાજર રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.

(12:07 pm IST)