ઉનામાં રવિવારે બ્રહ્મચોર્યાસી- મહિલા સંમેલન સંજય સ્મરણ સ્મૃતિ ગ્રંથનું વિમોચન
ઉના તા ૭ : તાલુકાના સનખડા માધ્યમિક શાળામાં ફરજ બજાવતા સંજયભાઇ જોષીનું નાની ઉંમરે કૈલાશગમન થયું હતું. તેમની સ્મૃતિમાં સંજય સ્મરણ નામનો સ્મૃતિ ગ્રંથ તૈયાર થતા તેનું વિમોચન તથા ઉના પરગણા સમસ્ત બ્રહ્મસમાજ ચોર્યાસીનું આયોજન તા. ૯ ને રવિવારે ઉન્નત નગર સોસાયટીમાં આવેલ ખોડલધામનાં વિશાળ સંકુલમાં મહાનુભાવોની હાજરીમાં સવારે ૯ થી ૧૨ દરમ્યાન યોજાશે.
જેમાં ઉના શહેર-તાલુકો તથા ગીરગઢડા શહેર તાલુકાનાં સમસ્ત બ્રહ્મસમાજ સહ પરિવાર બ્રહ્મચોર્યાસીમાં મહાપ્રસાદ લેશે. તેમજ આ પ્રસંગે આગલા દિવસે તા. ૮ શનીવારે રાત્રે ૯.૦૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાશે.
તમામ ભુદેવોને પધારવા શ્રી સિમ્બર સમવાય ઓૈદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ ઉના તથા શ્રી રત્નાદાદા સ્મારક સમિતિ-ગાંગડાએ નિમંત્રણ આપેલ છે.આ પ્રસંગે મહિલા સંમેલન પણ યોજાશે.