હઝરત પીર સૈયદ સાંઇ મુરાદશાહ બાપુનો ૩૦૪મો ઉર્ષ ઉજવાશે
ભાવનગર, તા. ૭ : ભાવનગર શહેરના વડવા વોશિંગઘાટ નજીક આવેલ હઝરત પીર રોશન ઝમીર સૈયદ સાંઇ મુરાદશાહ બાપુનો ૩૦૪મો ઉર્ષ મુબારક શાનદાર રીતે ઉજવાશે. આ ઉર્ષ પ્રસંગે તા. ૮ ને શુક્રવારે સાંજે મગરીબની નમાઝ બાદ ન્યાઝ શરીફ ત્યારબાદ રાત્રે ઇશાની નમાઝ બાદ નાત શરીફનો કાર્યક્રમ યોજાશે. જેમાં મો. વાસીફ રઝા સાહબ નૂરી (મુંબઇ), સૈયદ મુન્નવરઅલી કાદરી સાહબ (હૈદરાબાદ) અને મૌલાના સુફી રિયાઝ કાદરી સાહબ (મોડાસા), મૌલાના સાહીદ રજા સાહબ (મોડાસા), મૌલાના કારી અબ્દુલ કાદીર સાહબ પોતાની નુરાની ઝબાનમાં નાત શરીફ અને વાએઝ શરીફ પેશ કરશે. જયારે મોડી રાત્રે દરગાહ શરીફમાં સંદલ શરીફ ચડાવવામાં આવશે અને સલાતો સલામ અને સામૂહિક દુવાઓ કરવામાં આવશે. આ ઉર્ષ પ્રસંગે તમામ બિરાદરો હાજરી આપી સવાબેદારેન હાસીલ કરે તેમ દરગાહ શરીફના ખાદીમ ઇકબાલબાપુ પઠાણ અને સલીમભાઇ કનોજીયા સહિતના સભ્યોએ જાહેર અનુરોધ કર્યો છે.