કચ્છમાં એરફોર્સનું જગુઆર પ્લેન ઉડતાની સાથે ક્રેશ થતાં એર કોમોડોરનું મૃત્યુ થયેલ
એર કોમોડોર સંજય ચૌહાણની જામનગરમાં અંતિમવિધિ
મેયર અને ધારાસભ્ય સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર : અંતિમવિધિ સમયે દેશભકિતનું મોજ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ : કચ્છમાં એરફોર્સનું જગુઆર પ્લેન ઉડાન ભરતી વખતે તુટી પડતા એર કોમોડોર સંજય ચૌહાણનું મૃત્યુ થયેલ અને એર કોમોડોરના પાર્થિવ દેહને એરફોર્સ દ્વારા પુરા માન સન્માન સાથે જામનગર લાવવામાં આવેલ અને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમવિધિ કરવામાં આવી હતી.
એરફોર્સના જગુઆર એરક્રાફટ સાથે ઉડાન ભરનાર એર કોમોડોર સંજય ચૌહાણનું કચ્છના બેરાજા નજીક જેગુઆર ક્રેશ થતા સંજય ચૌહાણ નું મૃત્યુ નીપજયું હતું આજે જામનગર ખાતે એર કોમોડોર સંજય ચૌહાણનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો હતો અને પૂરા સન્માન સાથે જામનગરમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.
આ વેળાએ જામનગરના મેયર પ્રતિભાબેન કનખરા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને બાદમાં સંજય ચૌહાણની અંતિમ વિધિ સંપન્ન કરી હતી દરમિયાન દેશભકિતનું મોજુ ફરી વળ્યું હતું.(૨૧.૧૯)