સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

જુનાગઢમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા શાકભાજી અને દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શનઃ રેલ્વેના પાટા અને રસ્તા ઉખેડી નાખવાની ધમકી

જુનાગઢ, તા. ૭ :  ખેડૂતોના પ્રશ્ને આજે સવારે જુનાગઢમાં કોંગ્રેસે શાકભાજી અને દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

ખેડૂતોના વિવિધ પ્રશ્ને આંદોલન ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે આજે સવારે જુનાગઢમાં કલેકટર કચેરી નજીક જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપરાંત ખેડૂતોને શાકભાજી અને દૂધ રસ્તા ઉપર ઢોળીને આક્રોષ વ્યકત કર્યો હતો.

વિરોધ પ્રદર્શનની સાથે આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો રેલ્વેના પાટા અને કલેકટર કચેરીના રસ્તા ઉખેડી નાખવાની કોંગીજનોએ ચિમકી આપી હતી.

(3:51 pm IST)