સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

ખેતી માટે જરૂરી લોન નહીં મળે તો તેની ચિંતામાં મેંદરડાના ખીજડીયાના ભાકુભાઇ ચૌહાણનો આપઘાત

જુનાગઢ, તા. ૭:  ખેતીની જમીન ઘટતા મેંદરડા પંથકના પ્રૌઢે આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે રહેતા ભાકુભાઇ કડવાભાઇ ચૌહાણ (ઉ.વ.પપ) નામનાં પ્રૌઢ દરબારની ૧ર વિઘા ખેતીની જમીનમાં નવું પ્રમોગેશન થયેલ.

આથી જમીનમાં ઘટાડો થતાં નેતી માટે જપ્ત લોન નહિ મળે અને નબળી સ્થિતિનાં વિચારો ચિંતાને લઇ ભાકુભાઇ પોતાની વાડીએ ઝેરી પાવડર પી ગયા હતા.

આથી પ્રૌઢને મેંદરડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં તેનું મૃત્યુ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. (૯.ર)

(11:55 am IST)