ઉપલેટા-કંડોરણાને પાક વીમામાં અન્યાય, વિઠલભાઇને યાદ કરતા ધરતીપૂત્રો
ઉપલેટા, તા.૭: આજે ઉપલેટા જેમ કંડોરણા તાલુકાને કપાસનો પાક વિમા બાબતે ખુબ અન્યાય થયેલ છે ત્યારે આ વિસ્તારનાં ખેડૂતોને સામાન્ય ૬ ટકા તથા કંડોરણા વિસ્તારના ખેડૂતોને ઝીરો ટકા વિમો અત્યારે આ વિસ્તારનાં ખેડૂતોને આપી વિમા કંપનીઓએ ઘોર અન્યાય કરેલ છે આ બાબતે ગઢાળાના સરપંચ નારણભાઇ આહિરે જણાવેલ હતું કે, ગયા વર્ષે કપાસના પાકમાં રોગચાળો આવેલ હતો તે ખેતીવાડી ખાતાએ સર્વે પણ કરેલ હતું છતા ઉપલેટા તાલુકાના ખેડૂતોનો માત્ર ૬ ટકા વિમો મળેલ છે ત્યારે આ બાબતે સરપંચે જણાવેલ હતું કે આ વિસ્તારમાં આ જે ખેડૂતોને પ્રીમીયમની રકમ પણ માંડ માંડ થાય તેટલો વિમો ખેડૂતોને ચુકવેલ છે અને હાલ વિઠ્ઠલભાઇ જે બીમાર છે તેનો લાભ સરકાર અને વિમા કંપનીએ ભરપુર લીધો છે પરંતુ જો વિઠ્ઠલભાઇ રાદડિયા બિમાર ન હોત તો કયારનો ખેલ સરકાર સામે નાખી દીધેલ હોય પછી તે ગમે તેની સરકાર હોય.