વેરાવળમાં ૧૮ મોત ગીર સોમનાથમાં ર૧૮ પોઝીટીવ કેસ નોંધાયા
વેરાવળ, તા.૭: વેરાવળમાં ૧૮ ના મૃત્યુ તેમજ ગીર સોમનાથ જીલ્લા માં ર૧૮
પોઝીટીવ નવા આવેલ છે આજે દરરોજના પ્રમાણ માં ઓછી ભાગદોડજોવા મળતી હતી.
વેરાવળ શહેરમાં સીવીલ અને ખાનગી હોસ્પીટલોમાં બિન સતાવાર રીતે મૃત્યુ આંક ૧૮ છે તેમજ નવા ર૧૮ પોઝીટીવ કેસો નોંધાયેલ છે જેમાં વેરાવળ ૬૯,સુત્રાપાડા ૧પ, કોડીનાર ૩પ, ઉના પર, ગીરગઢડા ૧પ, તાલાલા ૩રનો સમાવેશ થાય છે તેમજ હાલ જે દર્દીઓ સારવાર લઈ રહેલ છે તે મોટી ઉમરના છે અનેક બીમારી હોય જેથી ડરતા હોય તેથી મૃત્યુનું પ્રમાણ વધતું જાય છે તેમ જાણવા મળેલ છે.
છેલ્લા ર૪ કલાક માં જીલ્લા ભરમાંથી દર્દીઓ સારવારમાં પણ ઓછા આવી રહેલ છે અનેક ખાનગી હોસ્પીટલોમાં બેડ ખાલી જોવા મળેલ હતા તેમજ આઈસોલેશનવોર્ડમાંપણ અનેક દર્દીઓને રજા આપેલી છે ત્યારે અનેક વિસ્તારમાં નવા આઈસોલેશન વોર્ડ ખોલવા માટે તૈયારી થઈ રહી છે.