ખંભાળીયા ૧૪૪ ની કલમ વચ્ચે ભાજપને ધરણાની મંજુરી અપાતા ભારે ચર્ચા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૭ : ખંભાળિયામાં ગઇકાલે બંગાળમાં થયેલી હિંસાનો વિરોધ કરવા ભાજપના પ્રસિધ્ધી ભુખ્યા આગેવાનો, નેતાઓ સહિતનાએ ધરણાનો કાર્યક્રમ યોજયો હતો. જેને લઇને શહેરની જનતામાં ભારે રોષ સાથે ટીકાપાત્ર બન્યાં હતા. ખાટલે અને ઓોટલે એક જ ચર્ચા ચાલી રહી છે કે, હિંસા બંગાળમાં થઇ છે અને કેશરીયા ખેંસ પહેરીને ભાજપના કાર્યકરો વિરોધ અહીં શું કામ કરે છે એ સમજાતુ નથી.
ભાજપના લોકોને ૧૪૪ ની કલમ વચ્ચે ધરણાની મંજુરી કેમ આપવામાં આવી? બીજી બાજુ સામાન્ય માણસ કે વેપારી દુકાનમાં માસ્ક દાઢીએ અડકેલું હોય તો પોલીસ આ કરા દંડની કાર્યવાહી કરે છે જયારે ભાજપના આગેવાનો, કાર્યકરોએ તો પોલીસને પણ ચેલેન્જ આપી હોય તેમ જાહેરમાં ધરણાનો કાર્યક્રમ યોજયો તો શું પોલીસ ત્યાં પગલા લેવા જશે ? તેવા અનેક પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યો છે.