હળવદમાં પશ્ચિમ બંગાળમાં હિંસાના વિરોધમાં મામલતદારને આવેદન :
હળવદ : પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામ બાદ લોકશાહી નું હનન થયું હોય તેમ પશ્યિમ બંગાળ માં ઠેર ઠેર હિંસા ના બનાવો બની રહ્યા છે જેમાં નિર્દોષ નાગરિકો પર ખૂની હુમલાઓ થઈ રહ્યા છે તેના વિરોધમાં હળવદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ બંગાળમાં નિર્દોષ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને તેમના પરિવાર પર જે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે અને બેફામ રીતે બોમ્બ બાજી પણ કરવામાં આવી રહી છે ત્યારે હળવદ ભાજપે આ ઘટનાને વખોડી કાઢી છે અને તાત્કાલિક ધોરણે પશ્ચિમ બંગાળમાં ફરી લોકશાહીનું વાતાવરણ પ્રસ્થાપિત થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા મહામાહિમ રાષ્ટ્રપતિશ્રીને હળવદ ભાજપ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલ : દિપક જાની -હળવદ)