સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

સોમનાથ-વેરાવળ કર્તવ્ય ફાઉન્ડેશન અને પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા જરૂરિયાતો માટે વિનામુલ્યે ટિફીન સેવા

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૭ : સોમનાથ - વેરાવળ કર્તવ્ય ફાઉન્ડેશન અને પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના સંયુકત પ્રયાસોથી સમાજના લોકો જેઓ કોરોના દર્દી કે અન્ય દર્દીઓ સાથે હોસ્પિટલમાં છે તેમના માટે ફ્રી ટીફીન સેવા શરૂ કરવામાં આવેલ છે.

આ સેવાયજ્ઞમાં વેરાવળ પીઆઇ ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સેવા શરૂ કરેલ છે. સમાજ સેવાની નાનકડી જયોત પ્રજજવલીત રાખવા માલદેભાઇ વાજા, હરેશભાઇ ધોળીયા, ચિંતન મકવાણા, ગીરીશભાઇ ભજગોતર, કિશોરભાઇ મકવાણા, હિતેશભાઇ ચાંડપા, હિતેશભાઇ મુંછડીયા, પ્રતાપભાઇ વાજા સહિતના યુવાનો જહેમત ઉઠાવી રહેલ છે અને આ કોરોનાની ભયંકર મહામારી વચ્ચે સેવાયજ્ઞ કરી રહેલ છે. આ સેવાકાર્યમાં સમાજના લોકો પણ અનુદાન આપી સામાજિક ઋણ અદા કરી શકે છે.

(10:10 am IST)