સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

ચાંપરડા પંથકના વિવિધ ગામડાઓમાં સેનેટાઈઝર બોટલો તથા નાશ લેવાના મશીનનું ૧૦૦૦થી વધુ પરિવારોને વિતરણ

જૂનાગઢઃ ચાંપરડા સુરેવધામ આશ્રમના મહંત અને અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદજી બાપુ દ્વારા ચાંપરડા પંથકમાં આવેલ વિવિધ ગામડાઓમાં સેનેટાઈઝ બોટલો, માસ્ક તથા નાશ લેવાના મશીનનું ૧૦૦૦થી વધુ કુટુંબોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું અને હાલમાં પણ આ કામગીરી અવિરત ચાલુ છે ત્યારે લોકોએ કોરોનાની મહામારીમાં ડર રાખ્યા વગર સાવચેતી રાખવા અને સરકારની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, સેનેટાઈઝ થવા પૂ. મુકતાનંદબાપુએ અપીલ કરી હતી. (અહેવાલઃ વિનુ જોશી-જૂનાગઢ)

(10:06 am IST)