ખંભાળીયા પાસે ગઢવી યુવાનની હત્યા
જમીનના પૈસાની લેતીદેતી અંગેના હુમલાનો બનાવ ગંભીર નિવડયો
ખંભાળિયા, તા. ૭ :. તાલુકાના પરોઠીયા ગામના મૂળ રહેવાસી ગઢવી રામદે હરદાસ મસુરા હાલ હર્ષદપુરવાળાને રામનાથ સોસાયટીમાં રહેતા વીરમ ભારા ભાયકન સાથે જમીનના પૈસાની લેતી દેતી અંગે વાંધો ચાલતો હોય ગત તા. ૩૧-૧-૨૦ના રોજ સાંજે જામનગર હાઈવે પર રામદે હરદાસ મસુરા પર રાણભાઈ ભારાભાઈ ભાયકન, કરમણ ભારા ભાયકન, કેશુ પબુ ભાયકન રહે. પરોઠીયા તથા વીરમ ભારા ભાયકન અને એક અજાણ્યો શખ્સ એમ પાંચ વ્યકિતઓએ ગે.કા. મંડળી રચીને પાઈપથી હુમલો કરતા રામદે માથા, હાથ, પગમાં ગંભીર ઈજા સાથે જામનગર હોસ્પીટલમાં દાખલ થયો હતો. જ્યાં તેનુ ગત રાત્રીના સારવાર દરમિયાન જી.જી. હોસ્પીલમાં મરણ થયુ હતું.
અગાઉ પોલીસમાં ૧૪૩, ૪૭, ૪૮, ૪૯, ૩૨૩, ૨૪, ૨૫ અને ૧૩૫ મુજબ ફરીયાદ થઈ હતી જે પછી ઘાયલ શખ્સનું મોત થતા પોલીસે ૩૦૨ની હત્યાની કલમ ઉમેરી છે.
અગાઉ આ તપાસ પો.સ.ઈ. અનિરૂદ્ધસિંહ ઝાલા પાસે હતી તેમણે લાશને પોસ્ટમોર્ટમ કરાવીને આ અંગેની તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ વીરમભાઈના ઘેર આ મૃતક રામદે અગાઉ પણ બે ત્રણ વખત માથાકુટ કરવા આવેલો હતો તથા ઘણા સમયથી આ વાંધો ચાલતો હતો જે હત્યામાં પરિણમ્યો છે.