અમરેલીના ભોજલપરામાં ૧૨ લાખના દાગીના રોકડની ચોરી
પાડોશમાં લગ્ન પ્રસંગમાં ગયા અને તસ્કરો કળા કરી ગયા
અમરેલી તા. ૭ : અમરેલીના કેરીયા રોડ પર આવેલ ફાર્મવાડી નજીક ભોજલપરા શેરી નં. ૨માં રહેતા ભીખાભાઇ ઉર્ફે બાલાભાઇ વશરામભાઇ વઘાસીયા (ઉ.વ.૪૫) ગત તા. ૬ના રાત્રે ૧૦.૧૫ વાગ્યે પાડોશમાં લગ્ન હોય તેથી બાલાભાઇ તથા તેના પરિવારના તમામ સભ્યો બપોરે ૩ વાગ્યે પ્રસંગમાં હાજરી આપવા ગયેલ અને ઘરે આવી જોયું તો કબાટ તૂટેલી હાલતમાં હતા. કબાટમાંથી સોનાનો હાર, કાનની બુટી નંગ ૨, સોનાની કાન સર નં. ૨, સોનાની મોટી માળા, સોનાનો હાથનો પોચો, બાજુ બંધ ૧, પાટલા નં. ૨, મંગળસૂત્ર ૧, વીંટી-૨, ચેઇન ૧ મળી કુલ આશરે કિં. ૧૨ લાખ જેવી થાય છે તે સોના - ચાંદીના દાગીના તસ્કરો ચોરી કરી ગયા અંગે ભીખાભાઇ ઉર્ફે બાલાભાઇ વશરામભાઇએ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ તપાસ ઇન્ચાર્જ પીઆઇ વી.આર.ચૌધરીએ હાથ ધરી છે. બનાવ અંગે ડીવાયએસપી એમ.બી.મોણપરાએ તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે એફએસએલ સહિત તપાસ ટીમો કામે લગાડી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.