સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

માંગરોળના મધદરિયે માછીમારો વચ્ચે જૂથ અથડામણ: ચાર ઘાયલ માછીમાર સમાજના આગેવાનો સહિતના લોકો હોસ્પિટલે ઉમટી પડ્યા

પોલીસ કાફલો ખડકી દેવાયો: પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ

માંગરોળમાં મધદરિયે પીલાણાની હોડીના માછીમારો વચ્ચે જૂથ અથડામણ થઈ. જેમાં ચાર માછીમારોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘાયલોને માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. જ્યાં ખારવા અને માચ્છીમાર સમાજના આગેવાનો સહિત લોકો ઉમટી પડ્યા હતા. જેને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(8:35 pm IST)