સાવરકુંડલાનાં જાબાળમાં પૂ.મોરારીબાપુની પધરામણી
સાવરકુંડલાઃ જાબાળ ગામે પૂજય મોરારીબાપુએ ગામના સરપંચ ભુપેન્દ્રભાઇ એન.ખુમાણના નવા મકાને પધરામણી કરી હતી. લોક સાહિત્યકાર માયાભાઇ આહીર તથા સીમનભાઇ વાઘેલા, અરવિંદ, ભારતીબાપુ ૧૦૦૮ અખેગઢના સંતરી પધારતા બાળાઓ દ્વારા સામૈયુ કરવામાં આવ્યું હતું. પૂજય બાપુનું સ્વાગત નિર્મલભાઇ ખુમાણ તથા ગુજરાત કાઠી ક્ષત્રીય સમાજના પ્રમુખ પ્રતાપભાઇ વરૂ તથા મનુભાઇ બાઢડા તથા મનુભાઇ વડલી તથા બદરૂ બાપુ હાલરીયા તથા માજી પ્રમુખ રામકુભાઇ ધાખડા તથા રામકુભાઇ કોન્ટ્રાકટર નગર પાલીકાના પુર્વ સદસ્ય આણંદ ભાઇ ધાખડા તથા પ્રવિણભાઇ ખુમાણ દિલુભાઇ ભયલુભાઇ એન. ખુમાણ, લવકુભાઇ તથા ભોળાભાઇ વરૂ મયુરભાઇ વરૂ તથા મુનાભાઇ ખુમાણ અને વિશાળ ગ્રામજનોએ પૂજય મોરારીબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. (તસ્વીરઃ અહેવાલઃ દિપક પાંધી-સાવરકુંડલા)