દામનગર : બાબરા ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન
દામનગર : બાબરા તાલુકા ભાજપ દ્વારા આજરોજ બાબરા તાલુકા ભાજપ દ્વારા નાગરિકતા કાયદો સંશોધન ૨૦૧૯ અંતર્ગત જન જાગૃતિ અભિયાન કોટડાપીઠા, વાવડા, સુખપર ગામે મીટીંગ રાખવમાં આવી હતી જેમાં લોકોને નાગરિકતા સંશોધન કાયદા ની સાચી માહિતી અને જાણકારી આપી હતી અને સાથે સાથે ગામના લોકો એ ૮૮૬૬૨ ૮૮૬૬૨ નંબર પર મિસકોલ કરેલ હતા જેમાં ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ,ભાજપ ના વરિષ્ઠ આગેવાન બિપીનભાઇ રાદડિયા,તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ,મહામંત્રી મહેશભાઈ ભાયાણી,રાજુભાઈ વિરોજા, જગદીશભાઈ નાકરાણી, દિપકભાઈ કનૈયા, જીવનભાઈ ચોવટીયા,વિનુભાઈ ડોબરીયા,વિનુભાઈ લુણાગિયા,રમેશભાઈ ચાવડા, વલ્લભભાઈ બારૈયા,ગોરધનભાઈ જાપડિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો અને દરેક સમાજ ના લોકો ઉપસ્થિતરહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર, દામનગર)