થાંભલેથી અમારી લાઇટનું લંગરીયુ કેમ કાઢી નાંખ્યું? કહી સલિમ પર હુમલો
ટંકારાના સરાયા ગામનો બનાવઃ યુવાનને રાજકોટ ખસેડાયો
રાજકોટ તા. ૭: ટંકારાના સરાયા ગામે રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં સલિમ મોહમ્મદભાઇ વિકીયા (ઉ.૪૦) નામના સંધી યુવાનને ગામમાં હતો ત્યારે સાંજે આઠેક વાગ્યે ડાયાભાઇ ભરવાડ, રાણાભાઇ, નાગજીભાઇ અને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઇપ-ધોકા-કુહાડીથી હુમલો કરી માર મારતાં ટંકારા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
સલિમના કહેવા મુજબ પોતે લાઇટ રિેપરીંગનું કામ જાણે છે. થાંભલાની લાઇટ બંધ થઇ ગઇ હોઇ જેથી પોતે થાંભલે રિપેર કરવા માટે ચડ્યો હતો. એ દરમિયાન ભરવાડ લોકોએ લંગરીયુ નાંખ્યુ હોઇ તેની પોતાને ખબર ન હોઇ ભુલથી લંગરીયાનો છેડો હલી જતાં એ લોકોની લાઇટ જતી રહી હતી. આ બાબતનો ખાર રાખી કેમ અમારા લંગરીયા કાઢી નાંખે છે? તેમ કહી હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.